Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

શ્રાવણ મહિનામાં રાજુલા-જાફરાબાદ-ખાંભાથી શ્રી સોમનાથ સુધી એસ.ટી. બસ શરૂ કરોઃ અંબરીશભાઇ ડેર

રાજુલા તા.૭ : રાજુલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ અમરેલી એસ.ટી. ડિવીઝનનાં વિભાગીય નિયામકશ્રીને પત્ર પાઠવીને શ્રાવણ મહિનામાં અમરેલી જીલ્લાના રાજુલા, જાફરાબાદ ખાંભાથી શ્રી સોમનાથ મહાદેવ મંદિર સુધી એસ.ટી. બસ શરૂ કરવા માંગણી કરી છે.

અંબરીશભાઇ ડેરએ વધુમાં જણાવ્યું છે કે  આગામી તા.૯ ને સોમવારથી હિન્દુઓનો આસ્થાનો પ્રતિક એવો પવિત્ર શ્રાવણમ ાસ શરૂ થઇ રહયો હોય, દર વર્ષે હજારો શ્રધ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા સોમનાથ જતા હોય છે. માટે દર વર્ષની જેમ આ વર્ષુે પણ રાજુલા, જાફરાબાદ અને ખાંભાથી એક-એક બસ સોમનાથ સુધી શરૂ કરવામાં આવે. જેથી કરીને લોકોને  સોમનાથ મહાદેવના દર્શન કરવા જવા તથા ત્યાંથી પરત આવવા ખુબ જ સરળતા રહે અને એસ.ટી. વિભાગને પણ સારી આવક મળી રહે માટે શ્રાવણ માસ દરમિયાન રાજુલા, જાફરાબાદ ખાંભાથી સોમનાથ સુધી બસ શરૂ કરવા  અંતમાં અંબરીશભાઇ ડેરએ માંગણી કરી છે.

(1:07 pm IST)