Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સાંજે અલ્પેશ કથીરીયા ઉમિયા મંદિર ઉંઝાના દર્શને : કાલે જસદણ-ખોડલધામ આવશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૭ : ચાર મહિના કરતા વધારે સમયના જેલવાસ પછી ગુજરાતના પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા નીચેના સમગ્ર અને સ્થળ પર દર્શન તથા મુલાકાત માટે હાજર રહેશે. અને સંગઠન, શિક્ષણ, રોજગાર અને બિન -અનામત આયોગ તથા નિગમોના પ્રશ્નોને વાંચા આપવા દરેક તાલુકે અને જીલ્લા કક્ષાએ યુવાનોને મળી તેમની સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે.

આજે શનિવારે સાંજે ૫:૩૦ કલાકે ઉમિયા મંદિર -ઉંઝા ધામ ખાતે માતાજીના દર્શન કરી આર્શીવાદ લેશે. એસ.પી.જી. પ્રમુખ લાલજીભાઇ પટેલ સાથે મુલાકાત કરશે.

કાલે તા. ૮ને રવિવારે સવારે ૧૧ કલાકે સાળંગપુર ખાતે હનુમાન દાદાના દર્શનાર્થે જશે. બપોરે ૨ કલાકે જસદણ મુકામે નિર્માણ પામી રહેલા પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાત લેશે. સાંજે ૭ કલાકે ખોડલધામ કાગવડ ખાતે માતાજીની આરતી અને દર્શન કરશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો અને કાર્યકર મિત્રો સાથે મુલાકાત અને વાર્તાલાપ કરશે. તેમ પાટીદાર અનામત આંદોલન સમિતિ વતી ધાર્મિક માલવીયા પાસ કન્વીનર મો. ૯૮૨૫૧ ૩૯૨૫૧ એ જણાવ્યું છે.

(12:58 pm IST)