Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કોટડાસાંગાણીના માણેકવાડાના દિનેશ રાઠોડનો આપઘાત

રાજગઢના બસ સ્ટેન્ડમાં ઝેરી દવા પી મોતની સોડ તાણી લીધીઃ કારણ અંગે તપાસ

ગોંડલ તા. ૭ : રાજગઢના બસ સ્ટેન્ડમાં માણેકવાડાના યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

મળતી વિગત મુજબ કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામના દિનેશભાઈ ગોરાભાઈ રાઠોડ ૪૫ દલિત યુવાને રાજગઢના બસ સ્ટેન્ડમાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે કોટડાસાંગાણી સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે ગોંડલ દવાખાને લવાતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું . ઘટનાના પેપરો સીટી પોલીસના જમાદાર એમ.આર ચાવડાએ કરી વધુ તપાસ કોટડાસાંગાણી પોલીસ મથકે રવાના કરી હતી. આપઘાત કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)