Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભુજમાં પુત્રનુ સગપણ તુટતા પિતાનો આપઘાત માધાપર અંજારની બે યુવતીઓ અને નખત્રાણાના પૌઢનો આપઘાત

ભુજ તા.૭: કચ્છમાં આપઘાતના બનેલા ચાર અલગ અલગ બનાવમાં બે યુવતી અને બે પુરૂષોએ પોતાના જીવ દઇ દીધા હતા.

ભુજમાં ચારણવાસમાં રહેતા ૫૫ વર્ષીય જખુ જીવા ચારણે પોતાના પુત્રની સતત બીજી વાર સગાઇ તુટતા ગળે ફાંસો ખાઇ લીધો હતો.

તો, માધાપરમાં યજ્ઞ મંદિર પાસે રહેતી ૨૨ વર્ષીય યુવતી પૂજા મનજી જોગીએ અગમ્ય કારણોસર એસીડ ગટગટાવી મોતને વ્હાલુ કર્યુ હતુ.

ત્રીજા બનાવમાં નખત્રાણામાં રહેતા ૪૨ વર્ષીય ક્ષત્રિય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ મોતને વ્હાળુ કર્યુ હતું.

ચોથા બનાવમાં અંજારના વીરા ગામની ૨૬ વર્ષીય યુવતી રાજીબેન ગોપાલ જરૂએ પોતાના ખેતરના શેઢે લીમડાના ઝાડમાં ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યુ હતુ આપઘાતનુ કારણ જાણવા મળ્યુ નથી.

(11:43 am IST)