Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સરતાનપરમાં પત્નિને જીવતી સળગાવતા મોત

ભાવનગર તા. ૭ :.. તળાજ તાલુકાના સરતાનપર ગામમાં રહેતા વિશ્નુભાઇ બાબાભાઇ સરવૈયાએ આજ ગામમાં રહેતા અંજૂબેન સાથે બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં. બે વર્ષના લગ્ન જીવન દરમ્યાન તેમને એક બેબી પણ અવતરી હતી. દરમ્યાન ઘર કંકાસના કારણે બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડો થતાં ઉશ્કેરાયેલા વિશ્નુભાઇએ ચાર દિવસ પહેલા કેરોસીન છાંટી અંજૂબેનને જીવતા સળગાવી દેત તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

આ બનવ અંગે તળાજા પોલીસે મૃતકના પતિ વિશ્નુભાઇ વિરૂધ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:25 am IST)