Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વાંકાનેરમાં દશેરા નિમિતે રાજપૂત સમાજ દ્વારા નીકળી શોભાયાત્રા

 વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વેળા પણ દશેરા નિમિતે શસ્ત્રો પૂજન પૂર્વે શહેરમાંથી રાજપૂત સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં આગળ અશ્વોની સવારી વિશેષ સ્વરૃપે જોવા મળી હતી. વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહની અધ્યક્ષતામાં નીકળેલ આ શોભાયાત્રા જયારે ગરાસીયા બોર્ડીંગથી જીનપરા થઇ ગ્રીનચોક પહોંચેલ ત્યાર મુસ્લિમ સમાજ દ્વારા મહંમદભાઇ રાઠોડે કેશરીદેવસિંહનું ફુલહાર કરી સન્માન કર્યુ હતું. બાદમાં આ શોભાયાત્રા મેઇન બજાર થઇ દરબારગઢ ખાતે પહોંચી ત્યાં શસ્ત્ર પૂજન કર્યુ હતું.

(12:08 pm IST)