Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મોરબીના લખધીરપુર રોડ પર ફેકટરીમાં મજુરી કરતા યુવાનનો લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી :ઓદ્યોગિક નગરી મોરબીમાં આપઘાતના બનાવોનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેમાં યુવાનો વિવિધ કારણોસર આપઘાત કરી આયખું ટૂંકાવી રહ્યા છે જેમાં વધુ એક બનાવ લખધીરપુર રોડ પરની ફેકટરીમાં બન્યો છે જ્યા ૨૪ વર્ષના યુવાને જિંદગી ટૂંકાવી છે ત્યારે પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેવલ મિનરલ્સ નામની ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા રાહુલ મેઘાભાઇ મુનિયા (ઉ.વ.૨૪) નામના યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

 

(10:43 pm IST)