Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

સોમનાથ મંદિરમાં 'સુવર્ણ' કળશ અર્પણ કરતા ધીરૂભાઇ સરવૈયા

સોમનાથઃ જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખર પર ૧૫૦૦ થી વધુ કળશોને સુવર્ણ મઢીત કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓને સહયોગ આપવા અપીલ કરી હતી ,અત્યાર સુધીમાં દાતાઓ તરફથી ૫૫૦ કળશો માટેનું સુવર્ણ દાન દાતાઓ તરફથી નોંધવામાં આવેલ છે. દરમ્યાન પ્રખ્યાત હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાએ પણ એક કળશનું દાન નોંધાવેલ હતુ.  હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાએ સોમનાથ મંદિરે આવી સુવર્ણ કળશોની સ્વહસ્તે પૂજા વિધિ કરી શિવના ચરણોમાં સુવર્ણ કળશ અર્પણ કરેલ હતુ. ધીરૂભાઈ સરવૈયા દ્વારા દાદા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવી વિશ્વ કોરોના મહામારીમાંથી મુકત થાય તેવી પ્રાર્થના કરી હતી.

(11:48 am IST)