Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સોમનાથમાં કરાયો મિલેટ મહોત્સવનો પ્રારંભ એક સપ્તાહ સુધી ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં જાડા અનાજનું ભોજન પીરસાશે

પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદીના આહવાન પર જ્યારે વિશ્વ 2023 ને મિલેટ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે સોમનાથમાં પણ મિલેટ મહોત્સવનો પ્રારંભ:જાડા અનાજના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ સમજાવી અને દેશના ખેડૂતો માટે જાડુ અનાજ પકાવવાની ઉત્તમ તક નું સર્જન કરતો મિલેટ મહોત્સવ સોમનાથમાં એક સપ્તાહ ચાલશે:સોમનાથના નિશુલ્ક ભોજનાલયમાં ભોજન લેતા હજારો ભાવિકો એક સપ્તાહ સુધી જાડા અનાજનું રાત્રિભોજન ગ્રહણ કરશે

પ્રભાસ પાટણ : દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદીના આહવાનને અનુસરીને સમગ્ર વિશ્વમાં 2023 ના વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે સોમનાથ તીર્થમાં આવતા યાત્રીઓને પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાડા અનાજની વાનગીઓ સમગ્ર સપ્તાહ દરમિયાન પીરસવામાં આવી રહી છે.

  સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં પ્રતિદિન હજારો શ્રદ્ધાળુ ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે ત્યતે મિલેટ મહોત્સવ અંતર્ગત ભોજનાલયમાં એક સપ્તાહ સુધી જાડા અનાજની વાનગીઓ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદમાં પીરસવામાં આવશે. આ કાર્યક્રમનો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી  જેડી પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

  દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આખા વિશ્વને જાડા અનાજના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ સમજાવીને વિશ્વને સ્વસ્થ દિનચર્યા તરફ વાળીને દેશના ખેડૂતો માટે જાડુ અનાજ પકાવવાની ઉત્તમ તક નું સર્જન કરતો મિલેટ મહોત્સવ પ્રારંભ કરવામ સો આવ્યો છે. દેશના ખેડૂતોના સન્માનમાં અને આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક ગ્રહણ કરવાના સંદેશ સાથે મિલેટ મહોત્સવ સોમનાથમાં આગામી એક સપ્તાહ સુધી ચાલશે.

મિલેટ મહોત્સવના પ્રથમ દિવસે 1500 થી વધુ લોકોએ સોમનાથ મહાદેવનો જાડા અનાજથી બનેલ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન જુદાજુદા જાડા અનાજ દ્વારા બનેલ ભોજન શ્રદ્ધાળુઓને સાંજના સમયે પીરસવામાં આવશે.

 

(11:00 pm IST)