Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

કાલે જામનગરમાં આંખના રોગો માટે નિઃશુલ્‍ક કેમ્‍પ

જામનગર,તા. ૬ : શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર તથા રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા દર મહિને જામનગરમાં આંખના રોગો માટેનો કેમ્‍પ વિનામૂલ્‍યે યોજવામાં આવે છે. જે હવે આગામી તારીખ ૭-૨-૨૦૨૩ મંગળવારના રોજ શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર ખાતે યોજવામાં આવશે.

કેમ્‍પ સવારે ૯:૩૦ વાગ્‍યાથી બપોરે ૧૨:૩૦ વાગ્‍યા સુધી યોજાશે. વધુ માહિતી માટે ટ્રસ્‍ટના પ્રમુખ કનકસિંહ જાડેજાનો સંપર્ક કરવા જણાવાયું છે.

(1:23 pm IST)