Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જામજોધપુરના ધુનડાના સતપુરણધામ આશ્રમે પુનમ નિમીતે પુ. જેન્‍તીરામબાપાના ભજન સત્‍સંગનો કાર્યક્રમ યોજાયોઃ દેશ વિદેશથી ભાવિકોએ લાભ લીધો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૬ : જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણ ધામ આશ્રમ ખાતે ગઇકાલે રવિવારના રોજ પુનમ નિમિતે રાત્રે ૯ કલાકે પુ. જેન્‍તીરામબાપાના ભજન સત્‍સંગનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પુ.જેન્‍તીરામબાપા આજના તનાવભર્યા જીવનમાં ગુરૂકૃપા થકી આધી વ્‍યાધી અને ઉપાધીના ત્રિવિધ તાપમાંથી મુકત થઇ પ્રસન્‍ન અને આનંદમય જીવન  કેવી રીતે જીવાય તેમજ ધ્‍યાન દ્વારા સાકાર સ્‍વરૂપથી નિરાકાર સ્‍વરૂપની યાત્રા કેમ થાય તેનું અનુભવગત માર્ગદર્શન આપશે. આ પ્રસંગે દેશ વિદેશના સતપરિવારના સત્‍સંગીભાઇઓ બહેનો ઉપસ્‍થિત રહી સત્‍સંગનો ધર્મલાભ લીધેલ.કાર્યક્રમને લઇ આશ્રમના વ્‍યવસ્‍થાપક હસમુખભાઇ શીલુ, રાજુભાઇ, હિતેષભાઇ, કમલેશભાઇ તથા સતિષભાઇ પરમાર દ્વારા તમામ પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભનુભાઇ ઓડેદરા તથા સવદાસભાઇ ગાગલીયા સહિતના કલાકારોએ સંતવાણીના સુર રેલાવ્‍યા હતા

(11:46 am IST)