Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

માંગરોળની હિતેષ પાલાની જો કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરશો

જૂનાગઢ તા. ૬ : માંગરોળ શહેરનાં હરેશભાઇ લીલાધરભાઇ પાલાનાં ૨૪ વર્ષિય પુત્ર હિતેષભાઇ તા. ૨૬ જાન્યુઆરીએ માનસીક અસ્થિરતાના કારણે ઘરેથી કયાંક જતા રહ્યા છે. ઘઉવર્ણાં, આંખો કાળી, પાતળા બાંધાનાં હિતેષભાઇને જમણી આંખનાં નેણ પાસે જુનુ વાગેલાનું નીશાન છે. તેમણે કાળા રંગનું પેન્ટ અને કાળા રંગની જરશી પહેરેલ હતી. જો કોઇને હિતેષભાઇ પાલાની ભાળ મળે તો નજીકનાં પોલીસ મથકે અથવા જૂનાગઢ પોલીસને જાણ કરવા એમ.ઓ.બી શાખા જૂનાગઢનાં પી.એસ.આઇ. એમ.જે.કનેરીયાની યાદીમાં જણાવાયુ છે.                                   

અજાણ્યા મૃતક પુરૂષનાં વાલીવારસ જોગ

જૂનાગઢ સિવીલ હોસ્પીટલ ખાતેનાં આઇ.સી.યુ વોર્ડમાં દાખલ કરવામાં એક અજાણ્યા ૫૦ વર્ષિય પુરૂષનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ હતુ. રંગે શ્યામ આ મૃતક પુરૂષનાં વાલી વારસને જો સંદેશો મળે તો જૂનાગઢ પોલીસનો સંપર્ક સાધવા એમ.ઓ.બી શાખા જૂનાગઢનાં પી.એસ.આઇ. એમ.જે. કનેરીયાની યાદીમાં જણાવાયુ છે.

(1:08 pm IST)