Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સુરેન્દ્રનગરના સરામાં યોગેશ ભરવાડની હત્યા

હત્યા કરનારા શખ્સોની શોધખોળઃ પોલીસ તપાસનો ધમધમાટ

વઢવાણ તા. ૬ :.. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા મુળી વચ્ચે સીમમાં ભરવાડ યુવાનની કરપીણ હત્યા કરી લાશને મુકી હત્યારા ફરાર થયા હોવાની બાતમી અને જાણકારી મુળી પોલીસને મળતા આ હત્યા થયા અંગેની વિગતો મેળવવા માટે હત્યાના ઘટના સ્થળ ઉપર પહોંચેલ છે.

આ બનાવમાં પ્રાથમિક વિગતો અનુસાર મુળી સરા રોડ ઉપર ભરવાડ શખ્સની હત્યા થઇ હોવાની મુળી પોલીસને જાણકારી મળતા મુળી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચતા હાલમાં હત્યા થયેલ હાલતમાં યોગેશ જીલાભાઇ ભરવાડની  લાશ મળી આવેલ છે.

ત્યારે મુળી પોલીસ હાલમાં મુળી સરા રોડ ઉપર ભરવાડની હત્યામાં કોણ કોણ સામેલ છે કોણે હત્યા કરી અને હત્યા શા માટે થઇ વગેરે વિગતો હાલમાં પોલીસ મેળવી રહી છે. મૃતકની લાશને અને ઘટના સ્થળ ઉપર તપાસ હાલ ચાલુ છે.

(2:25 pm IST)