Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ભેંસાણના સાંકરોળાની બેનાબેન આહિરનો ગળાફાંસો ખાઇ આપઘાત

ક્રોધીત મગજને લીધે પગલું ભરી લીધાનું ભાઇનું કથન

રાજકોટ તા. ૬: ભેંસાણના સાંકરોળા ગામે રહેતાં બેનાબેન બહાદુરભાઇ ભેડા (ઉ.૩૦) નામના આહિર મહિલાએ તા. ૧ના રોજ ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં નીચે ઉતારી લઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તેનું આજે મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રવિભાઇ ગઢવીએ કાગળો કરી ભેંસાણ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારના લગ્ન પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્રી છે. માવતર ખાંભાના ઉમરાળીયા ગામે રહે છે. બેનાબેનનો મગજ ક્રોધીત હોઇ વારંવાર ગુસ્સે થઇ જતાં હતાં. નાની એવી વાતે આ પગલુ ભરી લીધાનું તેના ભાઇએ જણાવ્યું હતું. તેમજ સાસરિયામાં કોઇપણ દુઃખ-ત્રાસ નહિ હોવાનું પણ તેણે કહ્યું હતું.

(11:48 am IST)