Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

મોરબી : પાટીદાર નવરાત્રીના સંચાલકે નફાની ૫૨.૩૦ લાખની રકમ શહીદોને અર્પણ કરી.

૭.૫૫ લાખ મનોદિવ્યાંગ બાળકો માટે સ્કુલ બસ, ૧૫ લાખના ખર્ચે સરદાર પટેલનું સ્ટેચ્યુ મુકાશે

મોરબીમાં અજય લોરિયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શહીદ પરિવારના લાભાર્થે યોજાયેલ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આઠમના દિવસે હિસાબ કરવામાં આવ્યો હતો જેમાં ૫૨.૩૦ લાખનો નફો થવા પામ્યો હોય જે રકમ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી છે

યુવા અગ્રણી અજય લોરિયાએ જણાવ્યું હતું કે નફાની રકમ વિવિધ સેવાકાર્યોમાં વાપરવાનું અગાઉ નક્કી કરાયું હતું જે મુજબ ૫૨.૩૦ લાખની રકમમાંથી ૩૦ શહીદ પરિવારને ૧-૧ લાખ મળીને ૩૦ લાખ, મનો દિવ્યાંગ બાળકો માટે ચાલતી શાળાને ૭.૫૫ લાખની બસ, મોરબીના બસ સ્ટેન્ડ સામે આવેલ સ્ટેચ્યુને નવેસરથી બનાવવા ૧૫ લાખ ફાળવવામાં આવ્યા છે અને નવરાત્રી મહોત્સવના આયોજન થકી થયેલ નફો સેવાકાર્યોમાં વાપરવામાં આવ્યો છે.

 

(10:41 pm IST)