Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

પૂ.હરિચરણદાસબાપુના આર્શિવાદ લેતા રામભાઈ મોકરીયા

રાજકોટઃ તાજેતરમાં જ રાજયસભાના સભ્ય તરીકે બિનહરિફ ચૂંટાયેલા સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ શ્રી રામજી મંદિર ગોંડલ ખાતે બિરાજમાન પૂ.૧૦૦૮ શ્રી હરીચરણદાસ મહારાજના આર્શિવાદ પ્રાપ્ત કરેલ, તો સાથે સાથે શ્રી હરીચરણદાસબાપુએ રામભાઈને આર્શીવાદ આપતા કહેલ કે આપ અત્યાર સુધી સમાજના સેવા કરતા આવ્યા છો પરંતુ હવે વિશાળ કાર્યક્ષેત્ર મળેલ હોય સમાજના છેવાડાના માનવીની વિશેષ સેવા કરો એવા અંતરના આર્શીવાદ અને રાજકીય ક્ષેત્રે વધુને વધુ પ્રગતિ કરી દેશ અને સમાજની સેવા કરતા રહો એવી શુભેચ્છા પાઠવેલ. આ તકે શ્રી રામજી મંદિર ગોંડલના ટ્રસ્ટીશ્રી નિતીનભાઈ રાયચુરા, રાજુભાઈ અનડકટ અને કિશોરભાઈ અનડકટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(4:47 pm IST)