Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોરબીના ત્રાજપરના ઝુપડપટ્ટી વિસ્તારમાં કોરોના રસી અંગે લોકોને જાગૃતિ આપવામાં આવી

મોરબી:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘૂટું હસ્તકના ત્રાજપર ૨ ના સરાણીયાવાસ ઝૂપડપટ્ટી વિસ્તારમાં ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરીને કોરોના રસીકરણ વિષે સમજાવી માહિતી આપવામાં આવી હતી
સરાણીયા સમાજના આગેવાન મેપાભાઈ નાથાભાઈ સરાણીયાના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં રસીકરણનું પણ આયોજન કરાયું હતું જેમાં પીએચસી ઘૂટુંના ડો. જીજ્ઞેશ પંચાસર, એ વી મુછડીયા, ભટ્ટ દીપ, કુબાવત કરણ, મિત મેંદપરા, રવિ દેગામાં, હીનાબેન પરમાર, સીમાબેન પરમાર સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી વિસ્તારમાં ૬૫ થી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

(11:40 pm IST)