Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે શિક્ષકો માટે યોગ તાલીમ શિબિરનું આયોજન કરાયું.

મોરબી :શિક્ષણ વિભાગ Gcert ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા આયોજીત ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે તારીખ 1/12/21 થી 4/12/21 સુધી ચાર દિવસ  મોરબી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ગ સંચાલક તાલીમ ભવન રાજકોટ ના ડૉ. હેમાંગીબેન અને પોલીસ લાઈન કન્યા શાળાના શિક્ષક અનિલ ફટાણિયા મોરબી, થોરાળા પ્રાથમિક શાળા મોરબીના શિક્ષક વેગડ સોનલ, ધ્રુવગુરી  વાંકાનેર, જયશ્રીબેન રાજકોટ વગરે માસ્ટર ટ્રેનરો (MT) તજજ્ઞો દ્વારા મોરબી જિલ્લાના સરકારી શાળાના બાળકોની શારીરિક તંદુરસ્તી કેળવાય એ હેતુથી મોરબી જિલ્લાના શિક્ષકોને 4 દિવસ યોગ, આસન, પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી.

(11:38 pm IST)