Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રી મહોત્‍સ્‍વમાં પૂ. મુકતાનંદબાપુએ આશિવર્ચન આપ્‍યા

.. જુનાગઢ : સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભગવાન પરશુરામધામના નિર્માણ અર્થે જોષીપરાના ખલીલપુર રોડ સ્‍થિતિ કૈલાશ ફાર્મ ખાતે નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરાયુ છે. જેમાં સંસ્‍થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર, પ્રમુખ વિશાલ જોષી, નાયબ મામલતદાર મહેશભાઇ શુકલ, લલીતભાઇ જોષી, તેમજ મહામંત્રી પી. સી. ભટ્ટ, પરાગ પંડયા, કમલેશ ભરાડ અને સમગ્ર ટીમ ખેભેખભા મિલાવી આ કાર્યક્રમને સફળ બનાવી રહી છે આ નવરાત્રી મહોત્‍સવમાં ઓસ્‍ટીન એન્‍જી. કંપનીના થાનકી પરિવાર તેમજ ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી, કાઠી સમાજના અગ્રણી અજીતસિંહ વાંક, નિખીલભાઇ તેરૈયા, આશિષ ઉપાધ્‍યાય, મનિષભાઇ ત્રિવેદી આસી. કમિ. જયેશભાઇ વાજા, પ્રફુલ કનેરીયા, મનોજભાઇ જોબનપુતરા પ્રો. ભરત જોષી, પારસ જોષી, સહિતનાની ઉપસ્‍થિતમાં ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી, સ્‍ટેજ ઉપરથી રાસ રમી ખેલૈયાનો ઉત્‍સાહ વધારેલ ઉપરાંત ભાવનાબેન લાબડીયા, બ્રિજરાજ લાબડીયા, સંગીતા લાબડીયાએ ખેલૈયાઓને ભારે ઘેલુ લગાડેલ આ તકે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પુ. મુકતાનંદબાપુ ખાસ ઉપસ્‍થિત રહી આશિવર્ચન આપતા જણાવ્‍યું હતું કે,  સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના યુવાનોના માધ્‍યમથી આ નવરાત્રી પર્વ ઉજવાઇ રહ્યુ છે. નવરાત્રી પર્વ એટલે પવિત્ર પર્વમાં શકિતની આરધના ભારતનો ઋષિ હમેશા શકિતની પુજા કરતા આવ્‍યા છે. નવરાત્રી એટલે માં ને નવગણી  નવાજી છે તેમ ઋષિ કહે છે. ત્રણ વખત નવરાત્રી આવે એટલે ૨૭ ઘણી ગણાય યુવાનોના માધ્‍યમથી આજે સૌ સંગઠીત થયા છે. અને આ સંગઠન ધર્મ અને સમાજનો વિકાસ થાય એ ખાસ ધ્‍યાન રાખવાની ભાવના કેળવવા જણાવેલ રાજકીય દ્વારે પણ સંગઠીત થશો તો તમારી વાત  બધે સાંભળવામાં આવશે.ભાઇ ભાંડુઓને ઉપયોગી પૂ.ગોપાલાનંદબાપુ અને વિશ્વાસુ બાપુની ઇચ્‍છા હતી કે ૮૪ તડગોળના ભૂદેવો એકત્રિત થાય આજે અંતરીક્ષમાંથી આશિવાર્દ આપી રહ્યા છે અને પરશુરામ ધામનું ભૂમિપૂજન દશેરાના દિવસે કરવામાં આવનાર છે. જેને તિર્થ ભૂમિ સમવ્‍યુ સૌ ઉપસ્‍થિત રહેવા જણાવ્‍યુ અને યુવાનો નિવ્‍યર્સની બની અને બ્રાહ્મણોએ હમેશા સમાજને પ્રેરણા આપવાનુ કામ કર્યું છુ તમારૂ વાક્‍ય બ્રહ્માનું વાક્‍ય સૌ સંગઠીત થઇ છે. અને તન, મન, ધનથી હું સમાજ સાથે છું. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(1:57 pm IST)