Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

પરશુરામધામનું પુ.મુકતાનંદબાપુના હસ્‍તે ભુમિપુજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪ : જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોશી અને તેની ટીમ દ્વારા નિર્માણ થઇ રહેલ પરશુરામધામનું આગામી તા.પને બુધવાર દશેરાના પાવન દિવસે સવારે ૧૦.૩૦ કલાકે અખિલ ભારત સાધુ સમાજના અધ્‍યક્ષ પુ. મુકતાનંદબાપુના હસ્‍તે ભુમિપુજન કરવામાં આવનાર છે. જુનાગઢ નજીક મેંદરડા રોડ ઇવનગરથી આગળ સોનારડી પાસે પરશુરામ ધામ આકાર લેશે. આ પ્રસંગે સૌ ભુદેવ પરિવારોને ઉપસ્‍થિત રહેવા જયદેવ જોષીએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

(1:56 pm IST)