Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સાવરકુંડલા : અમદાવાદમાં મેટ્રો ટ્રેનના કયાં ફેઝનું ઉદ્ઘાટન થયુ ? વિરજીભાઇ ઠુંમરના ભાજપ ઉપર પ્રહારો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૪ : લાઠી - બાબરાના કોગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરે જણાવ્યું કે,અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ફેઝ-૧નું ઉદઘાટન કર્યું. તો તા.૦૪-૦૩-૨૦૧૯ના રોજ વસ્ત્રાલ ખાતે જે ૬.૫ કિમીની મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન તેમણે જ કરેલું તે કયો ફેઝ હતો?ઙ્ગ

એ ફેઝ વગરનો ફેઝ હતો? ફેઝ એટલે તબક્કો. અત્યારે જે ફેઝનું ઉદ્ઘાટન થયું એ પહેલો ફેઝ કે ત્રણ વર્ષ પહેલાંનો પહેલો ફેઝ? ફેઝ એક જ રહેવાનો કે ફેઝ બદલાશે ખરા?

ચૂંટણી આવે ત્યારે મેટ્રો ટ્રેનના જુદા જુદા ફેઝનું ઉદ્ઘાટન કરી શકાય માટે જ એના તબક્કા પાડવામાં આવ્યા છે, સમજો જરા, ગુજરાતની જનતા જાણે હવે અનુભવને આધારે એમ કહી શકાય કે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવશે ત્યાં સુધી કોઈ ફેઝનું ઉદ્ઘાટન થવાની શકયતા નથી. વડાપ્રધાનશ્રીએ  અમદાવાદના ભારત માતાના નાગરિકોને ઉલ્લુ બનાવી રહ્યા છે.ઙ્ગ

થોડા સમય પહેલાં લાખો રૃપિયાનો ખર્ચ કરીને અમદાવાદમાં રિવર ફ્રન્ટ ઉપર મેટ્રો ટ્રેનનો એક ડબ્બો પ્રદર્શન માટે મૂકયો હતો, અને મોદીભકતો એમાં સેલ્ફી લેવા માટે પડાપડી પણ કરતા હતા! ૨૦૦૭માં વિધાનસભાની ચૂંટણી આવી તે અગાઉ અમદાવાદમાં જુદાં જુદાં સ્થળોએ મેટ્રો સ્ટેશનનાં પાટિયાં પણ લગાડી દેવામાં આવ્યાં હતાં. એ પાટિયાં ગયાં અને મેટ્રોના થાંભલા લાગ્યા તો છે!

દેશનાં અમદાવાદ કરતાં વસ્તીમાં ઘણાં નાનાં શહેરોમાં પણ મેટ્રો ટ્રેન કયારનીય ચાલતી થઈ ગઈ છે એ એક હકીકત છે. આંધળા મોદીભકતોને થોડી થોડી મેટ્રો ટ્રેન બહુ ગમતી લાગે છે!ઙ્ગ

વધારામાં શ્રી ઠુંમરે જણાવ્યું કે હા, મેટ્રો ટ્રેન શરૃ થાય તે પહેલાં એમાં કૌભાંડ શરૃ થઈ ગયેલું એ યાદ છે? આશરેઙ્ગ રૃા.૨૦૦ કરોડનું કૌભાંડ! ૨૦૧૫માં! એકેય ફેઝ મેટ્રોનો શરૃ થાય તેના પહેલાં!ઙ્ગ

અંબાજીમાં પણ ૭૨૦૦ કરોડ રૃપિયાના વિકાસના કામોની જાહેરાત કરી આવી સૌરાષ્ટ્રમાં તેમજ ગુજરાતના જુદા જુદા સ્થળોએ જાહેરાત કરી છે તે રકમનો સરવાળો કેટલો થાય છે તે કામો કયારે શરૃ થવાના છે.

અમરેલી સાંતલી યોજના ને ત્રણ ત્રણ વાર ખાતમુહુર્ત કર્યા પછી સાંતલી ની શું સ્થિતિ છે તેવો એક વેધક પ્રશ્ન પૂછતા સાથે વધારામાં જણાવ્યું હતું કેજય જય ગરવી ગુજરાતના વિશ્વગુરૃ થવા થનગની રહેલા ગુજરાતીઓ કેટલા ફેઝ જોશે પછી આખેઆખી મેટ્રો મળશે, કે પછીઙ્ગ એમને આ રીતે ઉલ્લુ બનાવ્યા કરશે અને તેઓ બન્યા કરશે? તેમ વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે.

(1:44 pm IST)