Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમીની ઉજવણી

મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના આંબેડકર નગર ઉપનગરનો વિજયા દશમી ઉત્સવ પટેલ ર્બોડિંગ ખાતે યોજાયો હતો. જેમાં ૬૮ જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કબીર આશ્રમ રોહીદાસ પરાના મહંત દિલીપજી શુકલએ પ્રવચન આપ્યું હતું. જેમાં તેમણે ડો. હેડગોવરજીને યાદ કરી શકિત અને સંગઠન દ્વારા શરૃ કરેલ સંઘકારી અને બિરદાવ્યું હતું. જ્યારે ઉત્સવના વકતા તરીકે સંઘના કાર્યકર વિજયભાઈ રાવલે વિજયા દશમીનું ધાર્મિક અને સામાજિક પ્રસંગો અંગેનું જોડાણ તથા વર્તમાન સમયમાં શકિત સંગઠિતતા અને સંગ કાર્યની આવશ્યકતાની વાત કરી હતી તેમજ આગામી ત્રણ વર્ષ માટે પ્રત્યેક સ્વયંસેવક વ્યકિતગત રીતે સંગ કાર્ય માટે સંકલ્પ લે તે વાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંબેડકર નગર રૃપનગરના કાર્યક્રમનું અલ્પેશભાઈ ગાંધી તથા તેમની ટીમ  ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને કાર્યક્રમના અંતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

(1:37 pm IST)