Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

વાંકાનેર : કચ્છમા છાડવાલામા રાચ્છ પરિવારના કુળદેવીશ્રી મોમાઈ માતાજીના મંદિરે આઠમના હવન યોજાયો

 વાંકાનેર : સામખીયારીથી પંદર કિલોમીટર દૂર રાચ્છ પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીનુ મંદિર આવેલું છે જ્યાં આસોના રૃડા નવરાત્રીના આઠમના રોજ માતાજીનો હવન ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે થયેલ હતો તૅમજ બપોરે યજ્ઞની પુર્ણાહુતી બાદ માતાજીની મહાઆરતી સહુએ સામુહિકમા ઉતારેલ હતી તૅમજ આરતી બાદ ઉપસ્થિત સહુ રાચ્છ પરિવારજનોએ માતાજીનો મહા- પ્રસાદ લીધેલ હતો માતાજીના નિજ મંદિરને પુષ્પોથી શુભોષિત કરવામાં આવેલ હતું.

(11:47 am IST)