Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મોરબી ખાતે યોજાશે ગુરૂ ભાવવંદના કાર્યક્રમ

સાર્વજનિક હાઈસ્‍કુલ-ખાખરેચીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા : પહેલી મેના ગુરૂજનોના સન્‍માન સાથે વીર સૈનિકોનું પણ કરાશે બહુમાન

સાર્વજનિક હાઈસ્‍કુલ ખાખરેચીના ભૂતપૂર્વ વિદ્યાર્થીગણ દ્વારા આગામી તા.૧ ને રવિવારના રોજ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાખરેચીના ભૂતપૂર્વ શિક્ષકોપ્રત્‍યે કુતજ્ઞતા અને ઋણ સ્‍વીકારની ભાવના વ્‍યકત કરવા ગુરૂભાવ વંદનાનો કાર્યક્રમ મોરબી ખાતે યોજાશે.

યોજાનાર આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ગુરૂજનો જી.કે. રાઠોડ, સ્‍વ. એસ.એ. ગોસ્‍વામી, બી.જી.વડદ્યાસીયા, સી.એમ.વડસોલા, બી.કે. હુલાણી, વી.બી.પારજીયા, જે.એમ.ગોહિલ વિગેરેનું ભાવવંદના સહ સન્‍માન કરી સહ પરિવાર આર્શીવાદ મેળવાશે.

ગુરૂજનોના સન્‍માન સાથે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલા તેમજ હાલમાં ફરજ પરના વિર સૈનિકોનું પણ સન્‍માન કરી તેઓએ કરેલ રાષ્ટ્રસેવા અને પોતાના જીવનના સોનેરી સમયના ત્‍યાગ બલિદાન અને સમર્પણ ભાવ પ્રત્‍યે લાગણી વ્‍યકત કરાશે.

આ કાર્યક્રમમાં હાઈસ્‍કુલમાં ભણી ગયેલા માણાબા, સુલતાનપુર, ચીખલી, વેણાસર, વેજલપર, કુંભારીયા, રોહીશાળા તેમજ ખાખરેચીના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહપરિવાર સામેલ થશે. વિશેષ વિગત માટે મહેશભાઈ પારજીયા મો.નં. ૯૯૭૯૭૫૨૦૪૪ અને કાંતિલાલ માનસેતા મો.નં. ૯૯૦૪૫૭૫૪૭૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(1:10 pm IST)