Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

પક્ષે મને શું આપ્‍યુ છે તેના બદલે હું પક્ષને શું આપીશ એનો વિચાર કરીએ

વ્‍યકિત સે બડા દલ, ઔર દલ સે બડા રાષ્‍ટ્રની ભાવના ભાજપનો આત્‍મા છેઃ ભાજપના સૌરાષ્‍ટ્ર ઝોનના મહિલા મોરચાના અભ્‍યાસ વર્ગમાં ડો.ભરત કાનાબારનું પ્રેરક ઉદ્‌બોધન

(અરવિંદ નિર્મળદ્વારા) અમરેલી તા.૪ : પક્ષના કાર્યકરો બદલાતા રાજકીય અને સામાજીક પ્રવાહોથી અવગત રહે, પક્ષની વિચારધારાને બરાબર સમજે - આત્‍મસાત કરે અને ચુંટણીના સારા નરસાં પરિણામોનીઅ સરથી મુકત રહે એવા વિવિધ હેતુથી ભાજપમાં કાર્યકરોના અભ્‍યાસ વર્ગો સમયાંતરે યોજાતા હોય છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મંડલ અને જીલ્લા કક્ષાના અભ્‍યાસ વર્ગો ચાલી રહયા છે.

આજ રોજ, અમરેલી ખાતે સૌરાષ્‍ટ્ર ઝોનના મહિલા મોરચાના અધ્‍યક્ષ ડો. દિપીકાબેન સરડવા, પ્રદેશ મંત્રી ભાવનાબેન ગોંડલીયા તથા વિવિધ જીલ્લામાંથી આવેલ મહિલા મોરચાના જવાબદાર હોદેદારોની ઉપસ્‍થિતિમાં યોજાયેલ અભ્‍યાસ વર્ગમાં પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરતભાઇ કાનાબારે વર્ગની ભુમિકા અને આપણી કાર્ય પધ્‍ધધતિ વિષય પર વકતવ્‍ય આપેલું હતુ.

ડો.કાનાબારે પોતાના વકતવ્‍યમાં ૧૯પ૧માં જનસંઘની સ્‍થાપનાથી લઇ વર્તમાન ભાજપની ૭ દાયકાની વિકાસયાત્રાના ઇતિહાસના રસપ્રદ તબકકાઓનું વર્ણન કરી ભાજપ શા માટે બીજા પક્ષો કરતા અલગ છે. પાર્ટી વીથ એ ડીફરન્‍સ તેના વિવિધ પાસાઓની ચર્ચા કરી. રાષ્‍ટ્રવાદ, લઘુમતિના તૃપ્‍તિકરણને જાકારો, સુશાસન અને છેવાડાના માનવીની ચિંતા સાથે સાથેની વિકાસયાત્રાને ભાજપની સફળતા મુખ્‍ય કારણો જણાવી, કાર્યકર્તાનું નિર્માણ કાર્યકર્તાનો વિકાસ અને કાર્યકર્તા સંભાળએ ભાજપની કાર્યપધ્‍ધતિના મહત્‍વના પાસાંઓ છે તે ઉદાહરણો સાથે સમજાવ્‍યું.

સંગઠન વધુ વ્‍યાપક બને તે માટે પ્રવાસ અને પ્રત્‍યક્ષ સંપર્કનું શું મહત્‍વ છે તે સમજાવતાં ડો.કાનાબારે ટવીટરના જમાનામાં ટીફીન બેઠકો, ફેસબુકની સાથે સાથે ફેસ ટુ ફેસ સંપર્ક અને વ્‍હોટસઅપની સાથે સાથે ગામના વડીલો સાથેના વાર્તાલાપ પર ભાર મુકયો. વકતવ્‍યનાં અંતમાં ડો.કાનાબારે કાર્યકર્તાઓને અનુરોધ કર્યો કે આઝાદીની લડાઇ લડવાનું આપણાં ભાગે આવ્‍યુ નથી એટલે દેશ માટે મરવાનું સૌભાગ્‍ય ભલે પ્રાપ્‍ત ના થયુ હોય પણ દેશ માટે જીવી શકીએ તેવી મળેલ તકનો ઉપયોગ કરી, નિરંતર પક્ષ અને રાષ્‍ટ્ર માટે કામ કરતા રહીએ

(1:39 pm IST)