Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

અણીયારા ગામમાં ભાગવત કથાનો લાભ લેતા રાજકોટના અગ્રણીઓ

રાજકોટ : અણીયારા ગામ ખાતે શ્રી બજરંગ જીવદયા ગૌશાળના લાભાર્થે સમસ્‍ત અણીયારા ગામ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ મહોત્‍સવમાં પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરત બોધરા, ધારાસભ્‍ય જયેશ રાદડીયા, ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશ બોધરા, સરપંચો માર્કેટીંગ યાર્ડ તેમજ આર.ડી.સી. બેન્‍કના ડીરેકટરશ્રીઓ, આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે હાજર રહી ભાગવત કથામૃતનો લ્‍હાવો લીધો. આયોજકો, પ્રવીણભાઇ આંબલીયા તથા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર હૃદયપૂર્વક સ્‍વાગત તથા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આયોજન ગૌશાળાના લાભાર્થે કરાયેલ છે.

 

(12:20 pm IST)