Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જોડીયામાં સમસ્‍ત હિન્‍દુ સમાજ દ્વારા મુકિતધામ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ

વ્‍યાસપીઠ ઉપરથી કથાનુ રસપાન કરાવશે

(રમેશ ટાંક દ્વારા) જોડીયા તા.૪ : જોડીયાના ઇતિહાસમાં પ્રથમ વખત સમસ્‍ત હિન્‍દુ સમાજ દ્વારા ગામના સ્‍મશાનમાં બિરાજમાન શ્રી મુકતેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં તા.૧ર એપ્રિલથી ૧૮ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે.

વ્‍યાસ સ્‍થાને શ્રી પ્ર.પૂ.શ્રી વૈશલીબેન ગૌસ્‍વામી સ્‍વર યુકત મૌલિક શૈલીમાં શ્રી ભાગવત પિયુષનું સંગીતમય સાથે ભાવિકોને રસપાન કરાવશે ૧ર/૪/ર૦રરના રોજ પોથીયાત્રા તથા ભાગવત સપ્તાહનું મહાત્‍મય ૧૩ નો રોજ શિવ ચરિત્ર ૧૪ના રોજ પ્રહલાદ ચરિત્ર અને નૃસિંહ અવતાર, ૧પ ના રોજ વામન જન્‍મ, રામજન્‍મ, કૃષ્‍ણ જન્‍મની ઉજવણી ૧૬ ના રોજ ગિરીરાજ ઉત્‍સવ બાળ લીલા, રામલીલા ૧૩ના રોજ રૂકમણી વિવાહ ૧૮ ના રોજ સુદામાચરિત્ર, પરીક્ષીત મોક્ષ, અને કથાની પુર્ણહુતિ ઉપરાંત કથા દરમ્‍યાન દરરોજ રાત્રે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

દરેક સમાજના લોકો પ્રથમ વાર શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના સહભાગી બનવા માટે તાડામાર તૈયારી કરી રહ્યા છ.ે

(12:22 pm IST)