Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ગીર-સોમનાથ જીલ્લાના નવનિયુકત પોલીસવડા મનોહરસિંહજી જાડેજા

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.૪ : ગીર સોમનાથ જીલ્લાના નવનિયુકત જીલ્લા પોલીસવડા મનોહરસિં૦હ જાડેજા આજે ગીર સોમનાથ જીલ્લાના પોલીસવડા તરીકે ચાર્જ સંભાળશે.

તા.ર૬ ફેબ્રુઆરી ૧૯૭પના રોજ ધ્રોલ તાલુકાના જાંબેડાગામે જન્‍મેલા અને રાજકોટ ડીસીપી ઝોન-રથી બઢતી પામેલા એવા તેઓ પ્રોબેશકનલ પીરીયડ, બાસકાંઠા, રાજપીપળા ખાતે ૪ વર્ષ એ.સી.પી. અને ઉત્તર - દક્ષિણ - મધ્‍ય ગુજરાતનો સારો અનુભવ તેમજ ધોળકાના એ.સી.પી. તરીકે સફળ કામગીરી બજાવનાર તેઓ ર૦૧૧ની સાલના જી.પી.એસ.પરીક્ષા સારા ગુણાંક સાથે પાસ કરી પ્રથમ બનાસકાંઠા બાદમાં નર્મદા જીલ્લો સહિત જયાં-જયાં ફરજો બજાવી છે. ત્‍યાં ગુન્‍હેગારોસામે આક્રમક અને નાગરિકો સાથે માનવી અભિગમ દાખવનાર તેઓ તેમના સારા કાનુની સ્‍વભાવ માટે જાણીતા છે.

કાયદા અને નિયમો અંગે નાગરિકોને સંબોધનુ તેમનું વકતવ્‍ય સાંભળવું એક લ્‍હાવો અને પ્રભાવશાળી બની રહે છે. સોમનાથ ખાતે તેમને આવકારવા સોમનાથ ટ્રસ્‍ટ જીલ્લા પોલીસતંત્ર અને અગ્રણીઓ હર્ષ - આવકારની લાગણી અનુભવે છે.

(11:46 am IST)