Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

વાંકાનેરના ‘અકિલા' ના પત્રકાર નિલેશ ચંદારાણાનું આજે સાંજે બેસણુ

વાંકાનેર : વાંકાનેરના અખબારી એજન્‍ટ અને ‘અકિલા' દૈનિકના પત્રકાર સ્‍વ. નિલેશભાઇ લલીતભાઇ ચંદારાણાનું આજે સાંજે ૪ થી ૬ વાગ્‍યા સુધી જડેશ્વર રોડ, ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે બેસણુ રાખેલ હોઇ, બેસણામાં અનેક રાજકીય, ધાર્મિક તથા રઘુવંશી લોકો સ્‍વ. ને શ્રધ્‍ધાંજલી અર્પણ કરશે.
સ્‍વ. નિલેશભાઇ વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘના ઉપપ્રમુખ તથા રઘુવંશી સમાજના અગ્રણી - આગેવાન અને પૂ. હરિચરણદાસજીના ઉપાસક હતાં. તેઓ અખબારના માધ્‍યમથી લોકોના પ્રશ્નો ને વાચા આપી લોકોના ચાહક બન્‍યા હતાં. સ્‍વ. ને અનેક સામાજિક, રાજકીય, ધાર્મિક તથા પત્રકારોએ શ્રધ્‍ધાંજલી અર્પી હતી અને આપશે.

 

(10:40 am IST)