Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સાવરકુંડલા સ્‍વામિનારાયણ ગુરુકુળ દ્વારા નેત્ર નીદાન કેમ્‍પ યોજાયો

  સાવરકુંડલા : શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા  દ્વારા ૦૩/૦૨/૨૦૨૩ના રોજ શાષાી સ્‍વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્‍મળતિ માં  આંખ નાં દર્દીઓ માટે ૩૧૨ માં નેત્ર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિરનગર હોસ્‍પિટલના સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ  ડોકટરો દ્વારા  ૭૪ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી. જેમાંથી કુલ ૧૨ જેટલા દર્દીઓ ને મોતિયાના ઓપરેશન ની જરૂર હોય એમને સંસ્‍થા દ્વારા વિનામૂલ્‍યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી. અને જે દર્દીઓને ચશ્‍મા અથવા દવાઓની જરૂર હતી એમને વિનામૂલ્‍યે સંસ્‍થા દ્વારા ચશ્‍મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી. નેત્રકેમ્‍પના યજમાન ગો.વા. ચંદ્રકાંત રતિલાલ મહેતા હ. નીમેશભાઇ ચંદ્રકાંતભાઇ મહેતા ( મુંબઈ ) વાળા રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : દિપક પાંધી સાવરકુંડલા

(12:56 pm IST)