Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કાલે જામજોધપુરના ધુનડાના સતપુરણધામ આશ્રમે પુનમ નિમિતે પૂ. જેન્‍તિરામબાપાના ભજન સત્‍સંગનો કાર્યક્રમ

દેશ-વિદેશથી ભાવિકો લાભ લેશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ ખાતે આવતીકાલે રવિવારના રોજ પુનમ નિમિતે રાત્રે ૯ કલાકે પૂ. જેન્‍તિરામબાપાના ભજન સત્‍સંગનો કાર્યક્રમ યોજાનાર છે.

જેમાં પૂ. જેન્‍તિરામબાપા આજના તનાવ ભર્યા જીવનમાં ગુરૂકૃપા થકી આધી વ્‍યાધી અને ઉપાધીના ત્રિવિધ તાપમાંથી મુકત થઇ પ્રસન્ન અને આનંદમય જીવન કેવી રીતે જીવાય તેમજ ધ્‍યાન દ્વારા સાકાર સ્‍વરૂપથી નિરાકાર સ્‍વરૂપની યાત્રા કેમ થાય જેનુ અનુભવગત માર્ગદર્શન આપશે આ પ્રસંગે દેશ-વિદેશના સતપરિવારના સત્‍સંગી ભાઇઓ - બહેનો ઉપસ્‍થિત રહી સત્‍સંગનો ધર્મલાભ લેશે.

કાર્યક્રમને લઇ આશ્રમના વ્‍યવસ્‍થાપક હસમુખભાઇ શીલુ, રાજેશભાઇ, હિતેષભાઇ, કમલેશભાઇ તથા સતિષભાઇ પરમાર દ્વારા તમામ પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

(12:29 pm IST)