Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

વીણાબેનના દિવ્‍ય આત્‍માની શાંતી માટે ભગવાન શ્રી હરીને પ્રાર્થનાઃ પૂ.રમેશભાઇ ઓઝા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૪: અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વીણાબેન ગણાત્રાનું દુઃખદ અવસાન થતા ઘેરો શોક છવાયો છે ત્‍યારે વિશ્વ વંદનીય સંત  પ્રખર ભાગવતાચાર્ય  પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ વીણાબેનને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી છે.

અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા સાથે ટેલીફોનીક વાતચીત કરીને પુ.ભાઇશ્રીએ જયશ્રી કૃષ્‍ણ સાથે જણાવ્‍યું હતું કે સમાચાર મળ્‍યા કે અકિલા પરિવારના અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વીણાબેનનો સ્‍વર્ગવાસ થયો જયારે જીવનની યાત્રા સુખ પુર્વક સાથે સાથે થતી હોય એ સમયે એક પાત્ર અચાનક છુટુ પડી જાય ત્‍યારે બીજા પાત્રને અને સમગ્ર પરીવારને બહુ મોટો આઘાત લાગતો હોય છે અને બહુ ખોટ પડતી હોય છે.

સ્‍વર્ગીય વીણાબેનના દિવ્‍ય આત્‍માની શાંતી માટે ભગવાનશ્રી હરીને પ્રાર્થના અને શ્રી કિરીટભાઇ, શ્રી અજીતભાઇ, શ્રી નિમિષભાઇ અને સમગ્ર અકિલા પરિવારના બધા જ સ્‍વજનોને આ આઘાત સહન કરવાની પ્રભુ શકિત આપે એવી દયપુર્વકની પ્રાર્થના જયશ્રીકૃષ્‍ણ.

 

(11:41 am IST)