Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

વંથલીના સોમનાથ હાઈવે પર ૨૦ મિનીટ ચક્કાજામઃ વંથલી શહેર પણ આક્રોશપૂર્ણ બંધ

જૂનાગઢ, તા. ૪ :. વંથલી ખાતે આજે સવારે સોમનાથ હાઈ-વે પર દલિતોએ ચક્કાજામ કરીને આક્રોશ વ્યકત કર્યો હતો.

મહારાષ્ટ્રના કોરેગાવ અત્યાચારના વિરોધમાં આજે ગુજરાત દલિત સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. તે મુજબ સવારથી વંથલી શહેર બંધ રહ્યુ છે. આ દરમ્યાન દલિતોના ટોળાએ વંથલી નજીકના સોમનાથ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને ૨૦ મીનીટ સુધી વાહનો રોકી રાખ્યા હતા. આ દરમ્યાન પોલીસે દોડી આવીને મામલો થાળે પડતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

(4:21 pm IST)