Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

પોરબંદરમાં વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

(પોરબંદર, તા. ૩ :. બોખિરા તુંબડા વિસ્તારમાં રહેતા દિલીપ રામજીભાઈએ વ્યાજે લીધેલા ૨ લાખના ૧૦ ટકા વ્યાજ સહિત રકમ ભરી આપવા આરોપી મુકેશ કારૂભાઈ દલાલી કરતા હોય ત્રાસી જઈને ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડાયેલ છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દિલીપ રામજીભાઈએ ફરીયાદમાં વ્યાજખોરે આ રકમ નાણા ધીરધાર નિયમ વિરૂદ્ધ આપીને ત્રાસ આપતા હોવાનું જણાવેલ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)