Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

વડિયા સ્વામીનારાયણ મંદિરે શાકોત્સવ ઉજવાયો

 વડિયા : વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં આવેલ શ્રી દિવ્યધામ સ્વામીનારાયણ મંદીર ખાતે શાકોત્સવ ઉજવાયો જેમા સ્વામીનારાયણ સંત આનંદસ્વામી દ્વારા પ્રવચન કરી સ્વામીનારાયણ ભગવાન વીષે હરી ભકતોને જ્ઞાન આપેલ. આ તકે રામસ્વામી તથા બહારના સ્વામી નારાયણ મંદિરના મહંતો પધારેલ અને વડિયા ગામ તેમજ આજુ બાજુનાં ગામે-ગામ થી હરિભકતો મોટી સંખ્યામા ઉમટી પડેલ અને હરીભકતોએ બપોરના સમયે પ્રસાદ લીઘેલ તેમજ રામસ્વામી, આનંદ સ્વામી અન્ય સ્વામીઓ દ્વારા શાકનો વધાર કરવામા આવેલ હતો તેમજ હરિભકતો એ સ્વામિનારાયણ ભગવાન મંદિરના દર્શન અને પ્રસાદ નો લાભ બહોળી સંખ્યામાં લીધો હતો. તસ્વીરમાં શાકોત્સવમાં ઉપસ્થિત સ્વામીશ્રીઓ નજરે પડે છે.(તસ્વીર : જીતેશગીરી ગોસાઇ)

(11:20 am IST)