Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

મોટી કુંકાવાવનાં વતનીઓનું રાજકોટમાં સ્‍નેહમિલન

અમરેલી જિલ્લા કુંકાવાવ મોટીના મુળ વતની અને રાજકોટમાં સ્‍થાયી થયેલા પરિવારજનોનું સ્‍નેહમિલન યોજાયું હતું. જેમાં કુંકાવાવથી ગામના સરપંચશ્રી સંજયભાઇ લાખાણી (ફૌજી) તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ડોલરભાઇ દવે, તેમજ અગ્રણી કથુભાઇ વાળા અન્‍ય આગેવાનોએ હાજરી આપેલ. તેમજ નગર શેઠ વસુભાઇ કામદારના પુત્રી નિલેશભાઇ તથા પિન્‍ટુભાઇ કામદાર પરીવાર તરફથી આ કાર્યક્રમને સફળ બનાવવા આર્થિક યોગદાન આપવામાં આવેલ છે. રાજકોટ કોર કમિટી દ્વારા સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. 

(10:19 am IST)