Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોરબી સબજેલમાં ગાંધી જયંતિ નિમિતે જીવન સુધારણાનો કાર્યક્રમ યોજાયો

જેલમાંથી મુક્તિ મળ્યા બાદ નવેસરથી ગુન્હાઓથી દૂર રહી સકારાત્મક જીદંગી જીવવાનો સંકલ્પ લેવડામાં આવ્યો

મોરબી સબજેલમાં ગાંધી જયંતિ નિમિતે જીવન સુધારણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેદીઓને જેલમાંથી મુક્તિ મળ્યા બાદ નવેસરથી ગુન્હાઓથી દૂર રહી સકારાત્મક જીદંગી જીવવાનો સંકલ્પ લેવડામાં આવ્યો હતો.


મોરબી સબજેલમાં મહાત્મા ગાંધી જયંતિદિવસ નિમિતે સબજેલના જેલર એલ.એમ.ઝાલા તથા ઇન્ચાજ જેલર એ.આર.હાલપરા સાથે સહ કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાનો દ્રારા એક જીવન સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સૌ પ્રથમ દીપપ્રાગટ્ય કરી ગાંધીબાપુના જીવન કવન વિશે સુવિચાર વ્યક્ત કરી જેલમાં રહેલા કેદીઓને પશ્ચાતાપ કરી સુધારાત્મક વલણ અપનાવી જેલ મુકત થયા બાદ પોતાના પરિવાર અને સમાજમાં જઈ નવું જીવન જીવવાનો જેલર દ્રારા બોધપાઠ પાઠવવામાં આવેલ હતો.

 

(11:59 pm IST)