Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

કેશોદથી કાવડીયાનો સંઘ પગપાળા સોમનાથ મંદિરે ગયો

(સંજય દેવાણી ધ્‍વારા) કેશોદ :  મિ બંગાળનાં કલકત્તા શહેરનાં ત્રીસ યુવાનોનો સંઘ જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં પહોંચી દામોદર કુંડનું પવિત્ર જળ ભરીને કાવડ યાત્રા પગપાળા ચાલીને દ્વાદશ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે મહા સુદ પૂનમના દિવસે જલાભિષેક કરવા જતાં હોય કેશોદ શહેરનાં મધ્‍ય માં થી પસાર થતાં ભક્‍તિમય વાતાવરણ ઉભું થયું હતું. કલકત્તા નાં યુવાનો અગાઉ વર્ષ ૨૦૧૮ માં પણ આવ્‍યાં હતાં અને દર મહિને પુનમના દિવસે કલકત્તા નજીક આવેલાં ભુતનાથ મહાદેવ મંદિરે પગપાળા ચાલીને જલાભિષેક કરે છે તદ્‌ઉપરાંત વર્ષમાં એક વખત એક જ્‍યોર્તિલિંગ ખાતે પહોંચી જલાભિષેક કરે છે. આજનાં યુગમાં ઈશ્વરનાં અસ્‍તિત્‍વ સામે પ્રશ્‍નો ઉઠાવી ચકચાર જગાવનાર તત્‍વો સામે કલકત્તાનાં ત્રીસ યુવાનો દ્વારા કરવામાં આવતી કાવડ યાત્રા પ્રત્‍યુતર આપે છે. આવનારાં દિવસોમાં મહાશિવરાત્રી આવી રહી છે ત્‍યારે સમગ્ર સોરઠ શિવમય બની ગયું છે.

(1:36 pm IST)