Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગારીયાધારના આણંદપુર ગામે ટીસીનો પાવર વધી જતા ર૦૦ મણ કપાસની નુકશાની

ગારીયાધાર, તા. ૩ : તાલુકાના આણંદપુર ગામે ટીસીમાંથી પાવર વધી જતા. એકાએક ગામના તમામ ઘરોમાં શોર્ટ સર્કિટ સાથે ઘડાકાઓ સાથે ર૦૦ મણ કપાસ અને લાખો રૂપિયાના વિજળીના ઉપકરણો બળી જવા પામ્યા છે.

પાવર સપ્લાયનું ટ્રાન્સફોમરનો લોર્ડ વધી જતા ગામના તમામ ઘરોમાં શોર્ટ સર્કિટ થતા ભારે ધડાકા-ભડાકા સાથે એસી, ટીવી, ફ્રિઝ, ઘરઘંટી, ૬-૭ પંખા અને અસંખ્ય લાઇટો બળીને ખાક થઇ જવા પામી હતી તેમજ ગામના ચંદ્રદિપસિંહ બળદેવસિંહના ઘરે ૧પ૦ મણ અને કિરીટસિંહ જયુભા ગોહિલના ઘરે ૪પ મણ કપાસ બળી જતા ખેડૂતોને નુકશાની વેઠવી પડી હતી. જયારે આ સમગ્ર પ્રકરણે ગામના લોકો દ્વારા પીજીવીસીએલ વિરૂદ્ધ પોલિકામાં અરજી કરી દાવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:41 am IST)