Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વાંકાનેરના યુસુફ શેખને મિત્રો તોૈફિક, નાસીર અને કાનાએ છરીના ઘા ઝીંકયા

ચારેક દિવસ પહેલા ગાળાગાળી થઇ હતી તે બાબતનું મનદુઃખ કારણભુતઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૩: વાંકાનેર મીલ પ્લોટ મછોમાતાના મંદિર નજીક રહેતો યુસુફ હનીફભાઇ શેખ (ઉ.૧૮) સાંજે આઠેક વાગ્યે નવાપરામાં હતો ત્યારે તેના જ મિત્રો તોૈફિક, નાસીર અને કાના કોળીએ છરીથી હુમલો કરી બંને બાજુના પડખામાં પાછળના ભાગે ઘા ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના પી.એન. ત્રિવેદી અને દિપસિંહે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. યુસુફના કહેવા મુજબ પોતે હાલ બેકાર છે. ચારેક દિવસ પહેલા મિત્રો તોૈફિક સહિતની સાથે મશ્કરીમાં ગાળાગાળી થતાં માથાકુટ થઇ હતી. તેનું સમાધાન પણ થઇ ગયું હતું. સાંજે પોતે નવાપરામાં જતાં ત્રણેય વાત કરવાના બહાને સાઇડમાં લઇ ગયા હતાં અને બાદમાં અચાનક હુમલો કર્યો હતો.

(6:22 pm IST)