Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

જુનાગઢ જિલ્લામાં વધુ રર વ્યકિતને કોરોના

૧૯ દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ

જુનાગઢ તા. ર : જુનાગઢ જિલ્લામાં વધુ રર વ્યકિતને કોરોના પોઝીટીવ થયો હોવાનું જાણવા મળેલ છે.મંગળવારે જુનાગઢ જિલ્લામાં વધુ રર કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં જુનાગઢ શહેરના ૧પ, કેશોદ, માંગરોળ અને વિસાવદર તાલુકાના બે-બે તેમજ માણાવદર તાલુકામાં વધુ એક નવા કેસની નોંધ થઇ હતી.

જો કે ૧૯ કોરોના દર્દી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.દરમિયાન જુનાગઢ જિલ્લામાં કુલ ૬૩ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ૪૮૮ ઘરના ર૦પ૭ લોકોનો સમાવેશ થાય છે.

(1:03 pm IST)