Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિશ્વ હિંદુ પરિષદની જુનાગઢ ખાતે સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ : મોરબી જીલ્લાના હોદેદારોની વરણી

અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ સવસાણી, મંત્રી તરીકે કમલભાઈ દવે, ઉપાધ્યક્ષ તરીકે પરેશભાઈ તન્ના, ઉપાધ્યક્ષ પંકજભાઈ બોપલીયાની વરણી

મોરબી :  જુનાગઢ ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજવામાં આવી હતી જેમાં અખિલ ભારતીય સંયુક મહામંત્રી સુરેન્દ્રજી જૈન, ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મંત્રી અશોકભાઈ રાવલ, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ હરિભાઈ ડોડીયા, સૌરાષ્ટ્ર પ્રાંતમંત્રી ભૂપતભાઈ ગોવાણી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે
વિશ્વ હિંદુ પરિસદ મોરબી જીલ્લાના હોદેદારોમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ સવસાણી, મંત્રી તરીકે કમલભાઈ દવે, ઉપાધ્યક્ષ તરીકે પરેશભાઈ તન્ના, ઉપાધ્યક્ષ પંકજભાઈ બોપલીયા, કોષાધ્યક્ષ નવીનભાઈ માણેક, સંત સંયોજક નીરંજનદાસજી મહારાજ, ધર્મપ્રચાર સંયોજક કલ્પેશભાઈ ઝાલા, સહ સંયોજક જીગ્નેશભાઈ દોશી, સમરસતા સંયોજક હસુભાઈ પંડ્યા, પ્રચાર-પ્રસાર સંયોજક ભાવિકભાઈ ભટ્ટને જવાબદારી સોપવામાં આવી છે

જયારે બજરંગ દળ મોરબી જીલ્લા સંયોજક કૃષપભાઈ રાઠોડ, સહ સંયોજક મહાવીરસિંહ જાડેજા, ગૌરક્ષા સંયોજક ચેતનભાઈ પાટડીયા, સુરક્ષા પ્રમુખ કલ્પેશભાઈ મકવાણા, મોરબી જીલ્લા માતૃશક્તિ સંયોજિકા જ્યોત્સનાબેન સવસાણી, દુર્ગાવાહિની મોરબી જીલ્લા સંયોજિકા ઝંખનાબેન દવે, સેવા પ્રમુખ મોરબી જીલ્લા સંયોજિકા જયશ્રીબેન વાઘેલાને જવાબદારી સોપવામાં આવી છે

 

(9:16 pm IST)