Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જામનગરમાં મંદિર પર બોર્ડ લગાવતી વખતે કરંટ લાગ્‍યો : પટકાતા દિનેશભાઇનું મોત

સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ,તા. ૨ : જામનગરમાં આવેલ ચામુંડા માતાજીના મંદિર ઉપર ચઢી બોર્ડ લગાવવાનું કામ કરતી વખતે વીજ કરંટ લાગતા નીચે પટકાતા યુવાનનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું.
મળતી વિગત મુજબ જામનગરની પટેલ કોલોની શેરી નં. ૧૨માં રહેતા દિનેશભાઇ ભીખાભાઇ ડોડીયા (ઉવ.૪૫) ગઇ કાલે જામનગરમાં આવેલ.મહાપ્રભુજીની બેઠક પાસે ચામુંડામાતાજીના મંદિર મંદિર ઉપર ચઢી માતાજીનું બોર્ડ લગાવવાનું કામ કરતા હતા ત્‍યો ટ્રીલ મશીનમાં અચાનક કરંટ લાગતા દિનેશભાઇ ૪૦ ફુટ ઉંચાઇથી પટકાતા તેને માથામાં છાતી-પેટ અને હાથ-પગમાં ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ તેને તાકીદે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં બાદ વધુ સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું રાત્રે સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ.આઇ જયસુખભાઇ હુંબલ, તથા રાઇટર હસમુખભાઇએ પ્રાથમીક કાગળો કરી જામનગર મોકલવા તજવીજ હાથ ધરી છે.

 

(2:03 pm IST)