Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ડોકટરની પ્રામાણિક પ્રેકટીસ સાથે શુધ્ધ હૃદયની પ્રાર્થનાથી સારવાર સફળ થાય છે : પૂ. અપૂર્વમુનિ

મોરબી ગ્ખ્ભ્લ્ સ્વામિનારાયણ મંદિર દ્વારા તમામ ડોકટરો માટે મેડીકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ યોજાઇ : બ્રિજેશ મેરજા સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ :ઙ્ગગ્ખ્ભ્લ્ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશ્વવંદનીય સંતવિભૂતિ પૂજય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરબીના તમામ ડોકટરોની મેડીકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ સમાજના સર્જક એટલે ડોકટર. તેઓ પોતાના પ્રોફેશનને પરફેકટ બનાવી શકે, સાથે સાથે પોતાના સ્વજનોના સંબંધોને વધુ સારી રીતે સાચવી શકે તે આ મેડીકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ હતો.

કોન્ફરન્સની શરૃઆત પૂ. સંતો તથા વિવિધ ક્ષેત્રોઅગ્રણીઓ દ્વારા દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યાર બાદ મોરબીમાં રહીને સત્સંગ પ્રવૃતી કાર્યકર્તા પૂ. હરિસ્મરણસ્વામિએ પ્રાસગિંક ઉધ્બોધ્નનો લાભ આપ્યો હતો ત્યાર બાદ પૂ.અપૂર્વમુનીસ્વામીએ પોતાની વિદ્વતા સભરશૈલીમાં ડોકટરોના પારિવારીક તેમજ વ્યવસાયક જીવનમાં આવતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું જીવન સફળતા અંગે તો બધા વાતો કરે પણ નિષ્ફળતા મળે ત્યારે તેને કઈ રીતે મેનેજ કરવી તે અંગે જણાવ્યુ હતું.

પૂજય અપૂર્વમુનીસ્વામીએ આર્ટ ઓફ કર્મા વિષય પર જણાવેલ કે પ્રામાણિક પ્રેકટીસની પ્રોફેશનમાં ખૂબ જરૃર છે. પ્રામાણિક પ્રેકટીસ સાથે શુદ્ઘ હ્રદયની પ્રાર્થનાથી સારવાર સફળ થાય છે.ઙ્ગવ્યસનમુકત અને ઈર્ષામુકત જીવન બનાવીએ. સફળતા અને નિષ્ફળતામાં સ્થિર રહેવા માટે મંદિરે જવું ખૂબ જરૃરી છે.ઙ્ગડોકટર્સ માટે મુખ્ય ચાર મુદ્દાઓ જરૃરી છે.શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સામાજીક સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સ્વાસ્થ્ય.

કોન્ફરન્સના અંતિમ ચરણમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સંતો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. અંતમાં ઉપસ્થિત ૩૫૦થી અધિક ડોકટર્સ તેમજ રાજકીય આગેવાનો, વિવિધ ક્ષેત્રોના આગેવાનો સહિત ૧૫૦૦થી વધુ લોકોએ આદર્શ બનવાની પ્રેરણા લઈને વિદાય થયા હતા.

આ કાર્યક્રમમાં રાજયકક્ષા મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભાજપ મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઈ લોરીયા, ભાજપ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર, કિશાન મોરચા કોષાધ્યક્ષ કે.કે. પરમાર, ભાવેશ કંજારિયા તથા

સિરામિક એસોસિએશનના હોદેદારો અને ઉધોગપતિ કિરીટભાઈ પટેલ, મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઈ ભાડજા, હરેશભાઈ બોપલિયા, કે.જી. કુંડારીયા, જગદીશભાઈ વરમોરા, અરવિંદભાઈ જીવાણી, મનુભાઈ ફેફર, ચતુરભાઈ પાડલીયા, ગીરીશભાઈ સુવારીયા, કિશોરભાઈ પટેલ તથાવિવિધ વિભાગના ડોકટર સેલના પ્રમુખો ડો.બાવરવા (ત્પ્ખ્ પ્રેસિડેન્ટ), પૂર્વ પ્રમુખ ડો.વિજયભાઈ ગઢીયા, ડો.હિતેશભાઈ પટેલ (ચ્ફવ્ સર્જન),ઙ્ગ ડો.ચિન્મયભાઈ ત્રિવેદી (ઓર્થોપેડિક), ડો.જયેશ સનારીયા (સ્કીન), ડો.ભાવેશ ઠોરીયા (ફિઝીયો), ડો.નિલેશ કાવર (હોમિયોપેથિક), ડો.જીતેશ દઢાણીયા(આયુર્વેદિક), ડો.પ્રમિત ભોરણીય (ડેંટિસ),ઙ્ગય્લ્લ્ના અગ્રણીઓ ડો.જયંતિભાઈ ભાડેસિયા, જસ્મિનભાઈ હિંસું, દિનેશભાઈ હરિપરા, અમૃતભાઈ શેરશિયા, જયદીપભાઈ કંજારિયા, રાજુભાઇ વિરમગામા, ઉત્સવભાઈ દવે, દિલીપભાઇ કડેચા તેમજ મોરબીના બિલ્ડરો ભરતભાઈ બોપલિયા, સુભાષભાઈ દેત્રોજા, ડી.એલ. રંગપરિયા, શામજી રંગપરિયા, તેમજ લાઇન્સ કલબ ઇન્ટરનેશનલ રમેશભાઈ રૃપાલા, જીગ્નેશ રૃપાલા તથા મોરબી શિક્ષણ જગતના આગેવાનો મનોજભાઇ ઓગણજા, પી.ડી. કાંજીયા, હર્ષદભાઈ ગામી, નિલેષભાઈ કુંડારિયા સહિત લોકો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.(

(1:59 pm IST)