Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વાંકાનેરમાં ભરવાડ-રબારી સમાજ દ્વારા મચ્‍છુ માતાજીની રથયાત્રા

વાંકાનેરઃ સમસ્‍ત ભરવાડ અને રબારી સમાજ દ્વારા અષાઢી બિજ નિમિતે મહોત્‍સવ મચ્‍છુ માતાજીની રથયાત્રા મચ્‍છુ માતાજીની નાની એવી દેરીએ ભરવાડ અને રબારી સમાજના આગેવાન એવા ગેલાભાઇ હિન્‍દભાઇ ડાભી, મચ્‍છાભાઇ હરજીભાઇ, જીવણભાઇ, અરજણ બાંભવા, કબાભાઇ ગોલતર, નાગજીભાઇ ગોલતર સહિતના માલધારીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા સાથે ડી.જે.ના તાલ સાથે રથમાં મચ્‍છુ માતાજીની તસ્‍વીરો સાથે શહેર પોલીસ અધિકારી બી. પી.સોનારાની આગેવાની પોલીસ બંદોબસ્‍ત સાથે વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી. (તસ્‍વીર-અહેવાલઃ મહમદ રાઠોડ-વાંકાનેર)

(12:15 pm IST)