Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જામનગરમાં ભાગવત કથામાં દેવાયત ખવડ-અલ્‍પા પટેલની રમઝટ

 જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે રવિવારથી શરૂ થયેલ શ્રીમદ ભાગવત કથાની પ્રથમ રાત્રિએ જાણીતા લોકસાહિત્‍યકાર દેવાયત ખવડ અને કોકિલ કંઠી ગુજરાતના ખ્‍યાતનામ કલાકાર અલ્‍પા પટેલનો ડાયરો યોજાયો હતો. જામનગરના ધારાસભ્‍ય અને પૂર્વ રાજ્‍યમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા તેમની માતાની સ્‍મળતિમાં યોજાયેલા આ કથા દરમિયાન ના ડાયરા પ્રસંગે જાણીતા ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા પૂજ્‍ય ભાઈશ્રી અને રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના પૂજ્‍ય ઇન્‍દ્રભારતીજી મહારાજની ઉપસ્‍થિતિમાં ડાયરો યોજાયો હતો. મોડે સુધી શ્રોતાઓએ લોકસાહિત્‍ય અને ભજનનો રસથાળ માણ્‍યો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિંજલ કારસરીયા)

(2:17 pm IST)