Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સોમનાથ મહાદેવ મંદિરેથી અમદાવાદ જીલ્લાના શિવમંદિર પ્રાણપ્રતિષ્‍ઠા માટે અખંડ જયોત યાત્રાનું પ્રસ્‍થાન

(મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ર :.. ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે આજે અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના ગોગા ગમનપુરા ગામે તા. ૪ અને પ મે ના રોજ નવનિર્મિત શિવ મંદિર પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ માટે લઇ જવા ગોગા ગમનપુરા રબારી સમાજના ૪૦૦ થી પણ વધુ ભાઇઓ - બહેનો સોમનાથ આવ્‍યા અને સોમનાથ મહાદેવ મંદિરે ધજા-રોહણ-પૂજન કરી સોમનાથ મંદિરની અખંડ જયોત ધુન-ભજન અને ભકિતભાવ સાથે લઇ જઇ પ્રસ્‍થાન કર્યુ.

સમગ્ર કાર્યક્રમમાં નાનજીભાઇ દેસાઇ, ભુવાજી નારણભાઇ, કનુભાઇ દેસાઇની પ્રેરક ઉપસ્‍થિતિ સાથે સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સુંદર સહયોગ આપ્‍યો છે.

(12:19 pm IST)