Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ખંભાળીયામાં ભરતી મેળો યોજાશે

દેવભૂમિ દ્વારકા,તા. ૨: નિયામકશ્રી રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા માન.મંત્રીશ્રી તથા રાજકીય અગ્રણીઓની ઉપસ્‍થિતીમાં તા.૦૫-૦૫-૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે  નગરપાલિકા ટાઉનહોલ પોરબંદર રોડ, જામખંભાળિયા ખાતે જિલ્લાકક્ષાનાં ઔધોગિક ભરતી મેળા તથા રોજગાર અને એપ્રેન્‍ટીસશીપ એનાયત પત્રકના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. 

જેમાં દેવભૂમિ દ્વારકા  જિલ્લાઓના  ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્‍થિત રહીને વિનામુલ્‍યે પસંદગીની કાર્યવાહી કરશે જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્‍છુક નોન મેટ્રીક એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્‍નાતક  વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્‍યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફલ, અધારકાર્ડલ, બાયોડાટા વગેરે સાથે સ્‍વખર્ચે ભરતીના સ્‍થળે  નિયત સમયે  અને તારીખે અચુક ઉપસ્‍થિત રહેવું રોજગાર કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની એક યાદીમાં જણાવાયું છે.

(11:14 am IST)