Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ગોંડલમાં કાલે પરશુરામ ભગવાન જન્‍મજયંતિ ઉજવાશે

(અશોક જોષી દ્વારા) ગોંડલ,તા. ૨: ગોંડલ બ્રહ્મદેવ સમાજ શ્રી મિલન ભાઈ શુક્‍લ અને હિતેશભાઈ રાવલની આગેવાનીમાં બ્રહ્મદેવ સમાજની સમગ્ર ટીમ દ્વારા અને ગોંડલ સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ દાદાની જન્‍મ જયંતી ઉજવવાનું આયોજન કરેલ છે.

વિક્રમ સંવત ૨૦૭૮ ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ) ને મંગળવાર તા. ૩-૫-૨૦૨૨ના શુભ દિને કરાયું છે, જેમાંᅠ દિપ પ્રાગટય પ.પૂ. શ્રી જેરામદાસ બાપુ - મહંતશ્રી રામજી મંદિર, ગોંડલ. પ.પૂ. શ્રી સિતારામ બાપુ - મહંતશ્રી વડવાળી જગ્‍યા, ગોંડલ દ્વારા કરવામાં આવશે, આમંત્રિત મહેમાનોમાં રમેશભાઇ ધડુક - સાંસદ, પોરબંદર, ગીતાબા જાડેજા - ધારાસભ્‍ય, ગોંડલ., કુંવર સાહેબશ્રી જયોર્તિમયસિંહજી - હવામહેલ, જોષી સાહેબ - ડેપ્‍યુટી કલેકટર, અશોકભાઇ પીપળીયા - ચેરમેન ગોંડલ નાગરિક બેંક,અલ્‍પેશભાઇ ઢોલરીયા - ચેરમેન ગોંડલ માર્કેટીંગ યાર્ડ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા - વા.ચેરમેન માર્કેટીંગ યાર્ડ, પ્રફુલભાઇ ટોળીયા - ડીરેકટર માર્કેટીંગ યાર્ડ, ખુશ્‍બુબેન ભુવા - પ્રમુખ, ગોંડલ નગરપાલિકા, ઓમદેવસિંહ જાડેજા - કારોબારી ચેરમેન,ચંદુભાઇ દુધાત્રા, પ્રમુખ, ગોંડલ શહેર ભાજપ,ᅠ એ.જે.વ્‍યાસ , ચિફ ઓફીસર, ગોંડલ નગરપાલિકા, ગોપાલભાઇ ટોળીયા - પ્રમુખ ગોંડલ વેપારી મહામંડળ, નયનાબેન એચ. રાવલ - ચેરમેન વેજીટેબલ, ન.પા. ગોંડલ હાજર રહેશે.

કાર્યક્રમની રૂપરેખામાં તા. ૩-૫-૨૦૨૨, મંગળવાર (અખાત્રીજ)શ્રી પરશુરામ દાદાની પૂજન વિધી સાંજે ૬-૩૦ કલાકે (૨૧ ભૂદેવો દ્વારા મંત્રોચ્‍ચાર સાથે પૂજન વિધી),ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત પ્રવચનસાંજે ૭-૦૦ કલાકે, મહાનુભાવોનું સન્‍માન સાંજે ૭-૧૫ કલાકે, મહાઆરતી સાંજે ૭-૩૦ કલાકે, શ્રી પરશુરામ દાદાનો થાળ સાંજે ૭-૪૫ કલાકે,શ્રી બ્રહ્મદેવ સમાજનો પરિચય સાંજે ૭-૪૫ કલાકે, બ્રહ્મભોજન સાંજે ૮-૦૦ કલાકે કરાશે, સહયોગ શ્રી ચિભડીયા બ્રહ્મસમાજ અવધ ગૃપ તથા અવધ મહિલા મંડળનો સાંપડી રહ્યો હોવાનું યાદીમાં જણાવાયું હતું.

(11:04 am IST)