Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ધોરાજીના પીપળીયામાં રામદેજી ભકિત માનસ

 ધોરાજીઃ પીપળીયા ગામે રામદેવજી ભકિત માનસ કથા (રામાયણ) યોજાય જેમાં હજારો લોકોએ કથાનું રસપાન કરેલ હતું આ કથામાં કલ્‍યાણદાસબાપુ મેસવાણીયા દ્વારા સંગીત શૈલીમાં કથાનું અમૃતપાન કરાવેલ હતું. રામદેવજી મહારાજનો બાર પહોર પાઠ યોજાયો હતો અને મહારકતદાન કેમ્‍પ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્‍યામાં લોકોએ રકતદાન કરેલ હતું. દરરોજ રાત્રે ભકિત સંધ્‍યાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કથામાં સાંસદ રમેશભાઇ ધડુક પધારીને દર્શનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ધોબી સમાજના પ્રમુખ ધીરૂભાઇ ગોહીલ અને જેન્‍તીભાઇ ગોહીલ તથા મહંતશ્રી પ્રભુદાસબાપુ તથા પીપળીયા ગામના અગ્રણી હાજર રહી જહેમત ઉઠાવેલ હતી. માનસ કથાના પ્રારંભની તસ્‍વીર.

(10:52 am IST)